દરેક કામ કે વર્તન માટે યોગ્યસ્થળ-કાળ હોય છે ને તે વખતે ને તે સ્થળે જો તે તે કામ કે તે તે વર્તન ન થાય તો તે થયું ન થયું સરખું થાય છે. ટૂંકમાં, કામની આવડત પણ નકામી જાય છે ને થયું કામ પણ નકામું જાય છે.

બાળકોનું ઘણીવાર એમ બને છે. અમુક પ્રસંગે કે અમુક જગ્યાએ અમુક પ્રકારનું વર્તન હોવું જોઈએ. અમુક કામ અમુક વખતે જ થવું જોઈએ. અમુક કામ અમુક સ્થળે ન જ થાય વગેરે સામાજિક સગવડ-અગવડમાંથી ઉત્પન્ન થયેલા ઘણા રીતિરિવાજો સમાજમાં પ્રચલિત હોય છે. ને તે મોટાંઓ પ્રસ્થાપિત કરે છે. બાળકોથી બરાબર જે તે વખતે કે જે સ્થળે જે બનવું જોઇએ તે થતું નથી ને તેથી તેને મોટાંઓનો ઠપકો ખાવો પડે છે સામાજિક હાંસીને પાત્ર થવું પડે છે કે સામાજિક તુચ્છકાર સહન કરવો પડે છે. બાળજીવનના ઘણા કરુણ કે કાંઇક કરતું હોય ત્યાં તેનેએકાએક અટકવું પડે કે કામ છોડવું પડે વગેરે પ્રસંગો તેને માટે બહુ જ દુઃખદાયી હોય છે. ને તે શા માટે બને છે તે ન સમજવાથી દુઃખ સાથે મૂંઝગણ પણ ઘણી વાર હોય છે. માટે મોટાઓએ આવી બાબતોમાં બાળકોને પહેલેથી નિયમો બાંધી દેવા જોઈએ, એટલે તેનો રસ્તો સરળ થાય છે ને તેના જીવનની ઘણી મૂંઝવણ ટળે છે. બાળકોને નિયમો આપવાની સાથે સમજી શકે એવી ઉમરે તેમને ટૂંકમાં તેનાં કારણો પણ આપતાં જવાં જોઈએ. તેથી આંખ મીંચીને માત્ર મોટાંઓની સત્તાથી કાયદા પાળવામાં જે એક જાતની માનસિક ગુલામી છે તેમાંથી તેઓ મુક્ત થઇ, સમજીને વર્તવાની કળા તેમનામાં આવે છે.

એકાદ સાદો દાખલો લઇએ. બહુ તાણીને ન બોલવા સંબંધ કે અવાજ ને ગડબડ ન કરવા સંબંધે બાળકોને ઘણી વાર ટોકવાં પડે છે. કડીઆ સંબંધમાં આપણા દેશમાં સામાન્ય તો ધોરણનો અભાવ જ છે. મોટાંઓ ફાવે ત્યારે ઘાંટો કાઢીને બોલે છે, ગડબડ મચાવી મૂકે છે.આસપાસનાં ચાર ઘરોમાં સંભળાય એવી રીતે આપણા ઘરની વાતચલાવવાનો સામાન્ય રિવાજ છે. છતાં બાળકો હસાહસ કરે કે તાણીનેબોલે કારવે ત્યારે વારંવાર તેને ઠપકો દઈને અટકાવવાનો આપણોરિવાજ છે. એ બાબતમાં પ્રથમ તો મોટાંઓએ પોતાના વર્તન પરત્વે જ ધોરણ બાંધવાની જરૂર છે. પછી જ બાળકોને પણ ધોરણસર ચાલવાનું તેઓ કહી શકે છે. ધારો કે આપણે બાળકોને નિયમ આપ્યો કે આ ઓરડામાં કે જ્યાં સૌ પોતપોતાના વાંચવા લખવાનું કામ કરે છે ત્યાં તમારે ધીમેધીમે વાત ચલાવવી અથવા બહાર જઈને વાત કરવી. ત્યાં દડાની રમત ન રમાય કે ત્યાં બારી પરથી કૂદવાનું કામ નચાલી શકે વગેરે વગેરે. તો ઘણાંખરાં બાળકો તે નિયમનો બરાબર અમલ કરી કોઇ દિવસ વાંકમાં ન આવે પણઆપણું સામાન્ય ધોરણ કોઇ વાર તેમને રમવા દેવા, કોઇ વાર તેમનો રાડો પાડવા દેવી ને કોઇ વાર સખત ઠપકો દેવો, એવું હોય છે. ટૂંકમાં તદ્ન ધોરણ વગર ઠપકો ન ચલવી લેવાપણું ચલાવવાથી બાળકો મોટાંઓના ઠપકાને જીવનના અનિવાર્ય અકસ્માતો ગણી કાઢે છે ને પોતાના જીવનમાં કોઇ પણ જાતનું વર્તનનું ધોરણ દાખલ કરી શકતાં નથી.

નિયમો આપીએ એટલે આપણું કામ પુરું થતું નથી તેમ જ બાળકોના જીવનમાં તે ઊતરી જતા નથી. વારંવાર નિયમભંગના પ્રસંગો આવે છે ને તે તે વખતે નિયમભંગનાં કારણો શોધી કાઢી ઉપાયો યોજવાની આવશ્યકતા રહે છે.

નિમયભંગનું પહેલું જ કારણ જાણવામાં આવે છે તે આવડતનો અભાવ. આપણે કહીએ કે આમ કરવાનુંછે અને આમ કરવાનું નથી એટલે તે બની જ શકે છે એમ નથી. જેમ બાળકોને તરવા લઇ જઈએ અને કહીએ કેકોઇએ ડૂબવાનું નથી પણ તરવાનું છે તો બાળકો એકદમ તરવા લાગી શકતાં નથી. તરવાની આવડત આવતાંવખત લાગે છે તેમ જ બાળકો પરત્વે બધી બાબતોમાં સમજવું. બાળકોને કહીએ કે ધીમે સાદે વાતચીત કરવી,અવાજ ઉપર કાબૂ મેળવવો, જોઈએ તેટલો જ ઘાંટો કાઢવો, એ કામ કાંઇ સહેલું નથી. મોટા મોટા વક્તાઓ ને શિક્ષકોને પણ તે આવડતું નથી. બાળકો સાથે કામ પાડનારને એનો અનુભવ હોય છે. બાળક ધીમેથી બોલવાનો પ્રયત્ન કરી ઘાંટો કાઢે છે તે સહેજે આખા ઓરડામાં સંભળાય એવો નીકળી જાય છે. જ્યારે કોઇ બાળક એવું બોલે છે કે આપણને સંભળાતું જ નથી એટલે જરા મોટેથી બોલો એમ કહેવું પડે તે પછી મોટો એટલે બહ્ જ મોટોઅવાજ નીકળી જાય છે ત્યારે બાળક પોતે મૂંઝાય છે કે ધીમે સાદે કેમ બોલાતું હશે. આ જ રીતે દરેક બાબતમાં બાળકનું બને છે. જમતી વખતે નીચે ન પડવા બાબતમાં કે પાણીનોપ્યાલો ઉપાડી જતાં નીચે ન ઢોળવા બાબતમાં કે બીજી બધી બાબતમાં આવડત કેળવવી પડે છે. માટેમોટાંઓએ બરાબર ધ્યાનમાંરાખવું જોઈએ કે આમ કર ને આમ કરીશ મા, એટલું રોફથી કહેવાથીતેમની ફરજ પૂરી થતી નથી. પણ બાળકમાં તે પરત્વે આવડત આવેમાટેધીરજથી રાહ જોવી જોઈએ ને જરૂર હોય ત્યારે ત્યારે તે કેમ બને છેતે કરી બતાવવું જોઈએ. કેમ બોલાય, કેમ ચલાય, કેમ ઉપાડાય, કેમમુકાય, કેમ બેસાય, કેમ ઉઠાય, કેમ ઊભું રહેવાય વગેરે દરેકે દરેક બાબત આપણે યોગ્ય વખતે યોગ્ય રીતે કરી બતાવી પછી તે વસ્તુ બાળક શીખી લે ત્યાં સુધી શાંતિથી રાહ જોવી જોઈએ. વારંવાર ને જ્યારે ત્યારે ટોકવાથી પણ ઇષ્ટ પરિણામ દૂર જાય અથવા ન જ આવે. વારંવાર ને એકસરખું આપણે ધ્યાન રાખ્યા કરીએ તો પણ બાળક તે બાબતમાં વિશેષ Nervous -બીકણ અથવા અસમતોલ બનીને આવડતથી દૂર ને દૂર જ રહે એ પણ સંભવિત છે. માટે બાળક આવડત મેળવે ત્યાં સુધી ખૂબ સંભાળથી કામ લેવાની જરૂર રહે છે.

આવડત કે માહિતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવાના દાખલાઓ પણ ઓછા હોતા નથી. આવા દાખલાઓ મોટે ભાગે મોટાં બાળકોમાં બને છે. આવડત હોય પણ તે વાપરવાની બેદરકારી તેમનામાં દેખાય છે. કારણ તેઓ નિયમ જાણે છે પણ નિયમ પાછળનું કારણ જો તેમને કહેવામાં ન આવ્યું હોય તો જાણે અજાણે તેમના મનમાં આવે છે કે “શા માટે ?’ “શા માટે કરવું ?’ ‘શા માટે મોટેથી ન બોલાય ?’ “શા માટે વાસણ ખખડાવાય ?’ એમ દરેક બાબતમાં તેના મનમાં પ્રશ્ન ઊપજે છે કે શું કામ નહિ ? ને પોતાનામાં જવાબ દેવાની શક્તિ ન હોવાથી ઘણી વાર પ્રયોગ ખાતર બાળકો નિયમો તોડી જુવે છે ને તેમના મનથી કાંઇ વાંધાભર્યું લાગતું નથી એટલે આવડતનોઉપયોગ કરતાં નથી ને તે જ પછી ટેવ થઇ જાય છે. ઘણીવાર પ્રયોગની દષ્ટિ હોતી નથી પણ બેદરકારી જ હોય છે.

“શું કામ જોઈએ ?’ એ પ્રશ્ન ઊપજે કે તરત જાણે પોતે જવાબ દેતાં હોય કે કાંઇ જરૂર નથી ને તેથી તે નિયમ પાળવા પરત્વેબેદરકારી તેઓ રાખ્યા કરે છે. આવાંઓને નિયમોનાં કારણો આપીએકે સમજાવીએ તો તેઓ નિયમ પાળવાની ચિવટ રાખે છે. એટલેનિયમોનાં કારણો અર્થાત્ તેના યોગ્યાયોગ્યપણા સંબંધી બાબતજાણવાની સ્થિતિમાં આવે કે તેને તે સમજાવવાની જરૂર રહે છે, ને કારણો કે આવશ્યકતા જાણે એટલે બાળકો તે નિયમો પાળવા કબૂલે છે.

કારણો જાણવાં કે સમજવાં એ બુદ્ધિનો પ્રદેશ છે. ઘણીવાર એમ પણ જોવામાં આવે છે કે બાળકો નિયમોજાણતાં હોય છે, તેનાં કારણો પણ સમજેછે ને છતાં આચરણમાં તેઓ બેદરકાર જ રહે છે. જેમ કે ઉપરથી ચાલતો આવ્યો અવાજનો દાખલો લઇએ તો તેઓ ધારે ત્યારે ધીમેથી બોલી શકે છે. દરેક જણ ધીમેથી ન બોલે તો ઓરડામાં ગડબડ થાય ને બધાં પોતાનુંકામ કરી ન શકે એ વાત તેઓ જાણે છે, એટલું જ નહિપણ બીજાં બધાં એ નિયમનું પાલન કરે એમ તેઓ ઇચ્છે છે. છતાં જ્યારે પોતે બોલે છે ત્યારે ત્રણ માળ સંભળાય એવી રાડ પાડે છે. આનુંકારણ શું ? આનાં કારણો બે પ્રકારનાં હોય છે. બુઢ્દ્રિથી કોઈ વસ્તુ સમજવી એ એક વાત છે નેવખત આવ્યે બરાબર આચરણણાં ઉતારવી એ બીજી વાત છે.

આચરણમાં મૂકવા માટે ક્રિયાશક્તિ (Will Power) ની જરૂર હોય છે. વારંવાર કરવાથી ક્રિયાશક્તિ ખીલે છે. એટલે ધ્યાન રાખીને બાળકો કોઇ પણ વાત વારંવાર કરે તો તેની ટેવ પડે છે. પરિણામે તે વાત માત્ર બુદ્ધિના પ્રદેશમાં રહેતી નથી. પણ ક્રિયાશક્તિની મદદથી સિદ્ધ થાય છે. માટે બાળકોને નિયમ આપીએ ને નિયમનું પાલન કેમ કરવું તેની આવડત આપીએ એટલું જ બસ નથી પણ તેનો જ્યારે જયારે અમલ કરવાનો વખત આવવે ત્યારે ત્યારે તેઓ તે કરે જ એ વસ્તુ તેમની આગળ મૂકવાની જરૂર છે. ને તેઓ તે
હમેશની ટેવ તરીકે સિદ્ધકરી લે એ ધોરણે તેમને મૂકવાની જરૂર છે. ઘણીવાર આચરણમાં વસ્તુ લાવવાની બેદરકારીની પાછળ ક્રિયાશક્તિનો અભાવ નહિ પણ બીજું જ કારણ હોય છે. કોઈ કારણ સમજાવે તો બાળકો તે સમજે ખરાં પણ જો તેમની લાગણીને તે ન સ્પર્શે તો નિયમપાલન પરત્વેની બેદરકારી તેમનામાં આવી જાય છે. મોટેભાગે નિયમો સામાજિક જીવનની સુલભતા ને સગવડ ખાતર ઉપજાવેલાં હોય છે. સામાજિક જીવન એટલે Altruistic Life અથવા એકલા પોતા સિવાય બીજાનો વિચાર કરીને ચાલવાનું જીવન. બીજાં તરફથીપોતાને અડચણ ન આવવી જોઈએ એ વાત સૌ કોઇ તરત સમજી શકે છે, જ્યારે પોતે બીજાંને અડચણ ન કરવી જોઈએ એ વાત ભુલાઈ જાય છે. બાલમંદિરનો એ એક હમેશનો અનુભવ છે કે ઘણાં બાળકો આપણને આવીનેકહે છે કે અમને ગડબડ થાય છે. અમારાથી વંચાતું નથી, મારાથી ગણાતું નથી વગેરે. જ્યારે પોતે વાતોના રસ ઉપર ચડે છે ત્યારે પોતાની વાતથી બીજાં વાંચનારાં, લખનારાં કે ગણનારાંને આપણી વાતોથી હરકત પહોંચતીહશે એવાત તેઓ ભૂલી જાય છે. અથવા ખાસ ધ્યાન ઉપર લેવાની તેઓ તસ્દી લેતાં નથી. એટલે અમલમાં મૂકવા માટે તૈયાર છતાં મુકાતું નથી એવો વર્ગ આ વર્ગથી જુદો પડે છે. આમનામાં અમલમાં મૂકવાની ઇચ્છા કે તૈયારી જઓછી હોય છે. કારણ તેમની લાગણીને આ વસ્તુ સ્પર્શતી નથી. આનું કારણ Altruistic સામાજિકલાગણીઓનો વિકાસ સામાન્યતઃ જરા મોટી ઉમરે થાય છે. બાલ્યાવસ્થામાં પોતા પરત્વેનો ખ્યાલ વહેલો આવે છે ને તેમનું લક્ષ જ પોતે આગળ વધવામાં હોવાથી બીજાંનો વિચાર તેઓ ભૂલી જાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે બાળકોમાં સામાજિક વિચાર કેવળ અશક્ય જ છે. તેમને તે રસ્તે મૂકીએ, તે રીતે વિચાર કરવાની સરણી પાડીએ તો તેમની સામાજિક લાગણીઓ પણ જાગૃત થાય છે. પાશ્ચાત્ય શિષ્ટને સંસ્કારી સમાજમાં Christian Attitude of Life કહે છે. એટલે કે બીજાં પ્રત્યે લાગણીભાવ ને ન્યાયથી વર્તવાની રીત ઘરમાં સામાન્ય હોય છે નેબાળકો આગળ પણ તે મૂકવામાં આવે છે. તો તેમનામાં બીજાની સગવડ-અગવડનો વિચાર કરીને વર્તવાનું ધોરણ હમેશનું થઇ ગયેલું દેખાય છે. તે સમાજમાં બતાવવાની બાહ્યસભ્યતાના એક અંગ તરીકે રહેતું નથી પણ રગેરગમાં ભરાઈ ગયેલીસામાન્ય વાત હોય છે. આપણા દેશમાં સામાન્ય સમાજનું શિક્ષણતપાસીએ તો “ગમે તે રીતે સ્વાર્થ સાધો’ અને “સમાજમાં ખોટીસભ્યતાનો ડોળ કરો’ એ બે સૂત્રોમાં તે સમાઈ જાય છે. બાળકોનાં વર્તનમાં તેનો પડઘો પડે તો નવાઈ નથી.

ટૂંકમાં, આપણે બાળકોની આવડત અને તેના ઉપયોગ પરત્વે ઘણો ઝીણો વિચાર કરી શકીએ છીએ. બાળકોની આવડત વધે અને તેનો ઉપયોગ પણ વધે તે રસ્તે તેમને મૂકવાની જરૂર છે. તે માટે શિક્ષકો અને માબાપોએ એકમત થઇ બધે એક જ ધોરણસર નિયમો ઘડવાની જરૂર પણ છે જ. ઘણી વાર ઘરે મળતું શિક્ષણ નિશાળામાં ભૂંસાય છે ને ઘણીવાર નિશાળે મળતું શિક્ષણ ઘરે ભૂંસાય છે ત્યારે એકેનો કાયમી સંસ્કાર બાળકના મન પર રહેતો નથી એ આપણા બાલશિક્ષણની હાલની કફોડી સ્થિતિની કરુણતા છે. વહેલી તકે આપણે તે મટાડીએ ને બાળકોના જીવનને સ્થિર ધોરણ પર મૂકીએ.